Uncategorized
બાકરોલના 13 મકાનો સીલ:બાકી વેરાની વસૂલાત માટે મનપાની કાર્યવાહી, ₹5.37 લાખ વસૂલાયા

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે બાકી વેરાની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત બાકરોલ વિસ્તારમાં કાર્યવાહી કરીને 13 મકાનો સીલ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ ₹5,37,990નો વેરો વસૂલ કરવામાં આવ્યો હતો.



