Uncategorized
Trending

3500 પેટ્રોલ પંપો પર પહોંચી HPCLની ટીમ, પેટ્રોલ શુદ્ધ છે કે ભેળસેળવાળું? તપાસમાં શું બહાર આવ્યું?

HPCLના પ્રમાણે, આ તપાસ દરમિયાન પેટ્રોલમાં ભેળસેળ, ખરાબ ગુણવત્તા અથવા કોઈ પ્રકારની ગંભીર ગડબડી સામે આવી નથી. કંપનીએ કહ્યું કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલની ગુણવત્તા નક્કી માપદંડો અનુસાર મળી આવી છે અને તેને લઈને દેખરેખ રાખવામાં આવી રહી છે.

નવી દિલ્હીઃ E20 પેટ્રોલને લઈને હાલ દેશમાં વિવાદ ચાલી રહ્યો છે. તેની વચ્ચે ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે સરકારી તેલ કંપની HPCLએ ફ્યૂલને ગુણવત્તાને લઈને પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. કંપનીના પ્રમાણે, ગ્રાહકો સુધી યોગ્ય ગુણવત્તાવાળું પેટ્રોલ પહોંચાડવામાં આવે છે કે નહીં, તેને લઈને મોટાપાયે તપાસ કરવામાં આવી છે. HPCLના પ્રમાણે, આ તપાસ દરમિયાન પેટ્રોલમાં ભેળસેળ, ખરાબ ગુણવત્તા અથવા કોઈ પ્રકારની ગંભીર ગડબડી સામે આવી નથી. કંપનીએ કહ્યું કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલની ગુણવત્તા નક્કી માપદંડો અનુસાર મળી આવી છે અને તેને લઈને દેખરેખ રાખવામાં આવી રહી છે.
HPCL petrol pump checking
HPCLએ જણાવ્યું કે, 7 જુલાઈથી 13 જુલાઈ 2026ની વ્ચચે કંપનીના અધિકારીઓએ દેશભરના 2,173 પેટ્રોલ પંપો પર અચાનક તપાસ કરી. આ તપાસનો ઉદ્દેશ એ ચકાસવાનો હતો કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ નક્કી નિયમો અનુસાર વેચવામાં આવી રહ્યું છે કે નહીં. આ ઉપરાંત 3 જુલાઈથી 13 જુલાઈની વચ્ચે કંપનીના નિયમિત ગુણવત્તા તપાસ અભિયાન હેઠળ 1,385 વધારે નિરીક્ષણ કરવામાં આવ્યા. એટલે કે, કૂલ મળીને કંપનીએ 3500થી વધારે જગ્યાઓ પર પેટ્રોલની ગુણવત્તાની તપાસ કરી છે.
HPCL petrol pump checking
નમૂનાની તપાસમાં પણ નથી મળી કોઈ ગડબડી- આ ઉપરાંત કંપનીના ક્વાલિટી એશ્યોરન્સ સેલે 93 અન્ય જગ્યાઓ પર તપાસ કરી. જ્યારે, મોબાઈલ લેબ દ્વારા 49 ક્રૂડ નમૂનાની તપાસ કરવામાં આવી. HPCLના અનુસાર, આ તપાસમાં પેટ્રોલ નક્કી ગુણવત્તા માપદંડો પ્રમાણે મળી આવ્યું. કોઈપણ જગ્યાએ ફ્યૂલમાં ભેળસેળ, ખરાબી કે ગુણવત્તા સંબંધિત ગંભીર સમસ્યા નથી મળી.
HPCL petrol pump checking
ઈથેનોલ મિશ્રિત પેટ્રોલને લઈને ચાલી રહી છે ચર્ચા- દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલને લઈને ગત ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકો તેના ઉપયોગ, માઈલેજ અને ગાડીઓ પર તેની અસરને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે. આ વચ્ચે તેલ કંપનીઓ સતત એમ જણાવી રહી છે કે, ઈથેનોલ મિશ્રિત પેટ્લો નક્કી માપદંડો અનુસાર તૈયાર કરવામાં આવી રહ્યું છે અને તેની ગુણવત્તા જાળવી રાખતા માટે નિયમિત તપાસ કરવામાં આવી રહી છે.
HPCL petrol pump checking
HPCLએ જણાવી ગુણવત્તા તપાસની રીત- HPCLનું કહેવું છે કે, ક્રૂડની ગુણવત્તા જાળવી રાખવા માટે ઘણા સ્તરો પર તપાસ કરવામાં આવે છે. આમાં પેટ્રોલ પર નિયમિત તપાસ, અચાનક નિરીક્ષણ, ક્રૂડના નમૂનાની તપાસ અને સતત દેખરેખ સામેલ છે. કંપનીએ કહ્યું કે, આ પૂરી પ્રક્રિયાનો ઉદ્દેશ ગ્રાહકો સુધી સુરક્ષિત અને સારી ગુણવત્તાવાળનું ક્રૂડ પહોંચાડવાનો છે.
ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખવાનું લક્ષ્ય- HPCLએ કહ્યું કે, કંપની દેશભરમાં તેના બધા પેટ્રોલ પંપો પર ગ્રાહકોનો વિશ્વાસ અને યોગ્ય ગુણવત્તાવાળું ક્રૂડ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીના પ્રમાણે, ક્રૂડની ગુણવત્તાને લઈને તપાસ અભિયાન પણ ચલાવવામાં આવશે, જેથી ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ રહે.
ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખવાનું લક્ષ્ય- HPCLએ કહ્યું કે, કંપની દેશભરમાં તેના બધા પેટ્રોલ પંપો પર ગ્રાહકોનો વિશ્વાસ અને યોગ્ય ગુણવત્તાવાળું ક્રૂડ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીના પ્રમાણે, ક્રૂડની ગુણવત્તાને લઈને તપાસ અભિયાન પણ ચલાવવામાં આવશે, જેથી ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ રહે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!